ભારતના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને ટી20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમમાં એકમાત્ર વિકેટકીપર તરીકે ઋષભ પંતની પસંદગી કરી છે જ્યારે તે આક્રમણમાં નવો આયામ ઉમેરવા માટે ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલને આંતરરાષ્ટ્રીય ડેબ્યૂની જવાબદારી આપવા માંગે છે.
26 વર્ષીય યશ દયાલ સ્થાનિક ક્રિકેટમાં ઉત્તર પ્રદેશનું અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)નું પ્રતિનિધિત્વ કરે છે. ઝહીરે પોતાની ટીમ પસંદ કરતી વખતે મોહમ્મદ શમીની ઈજાને પણ ધ્યાનમાં રાખી છે.
ઝહીરે જિયો સિનેમાને કહ્યું, યશ દયાલનું સ્થાન ‘ફ્લોટિંગ સ્પોટ’ (અસ્થાયી) હશે કારણ કે મોહમ્મદ શમી ટૂર્નામેન્ટ માટે ઉપલબ્ધ રહેશે નહીં. તેણે કહ્યું, તે એવો બોલર છે કે જો તમે ક્યારેય કોઈનો ઉપયોગ બોલિંગ માટે કરવા માંગતા હોવ તો તેનો ઉપયોગ કરી શકો છો.
સંજુ સેમસન, કેએલ રાહુલ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓની અવગણના કરીને, તેણે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન પંતને તેની ટીમમાં એકમાત્ર વિકેટકીપર તરીકે પસંદ કર્યો.
T20 વર્લ્ડ કપ માટે ઝહીર ખાનની ભારતીય ટીમ:
બેટ્સમેનઃ રોહિત શર્મા, શુભમન ગિલ અથવા યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ
ઓલરાઉન્ડરઃ શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા
વિકેટકીપરઃ રિષભ પંત
બોલરઃ જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, યશ દયાલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ