ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન વર્ષ 2024માં રમાઈ રહી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં આઈપીએલ ટ્રોફી જીતવા માટે 10 ટીમો એકબીજા સામે મેચ રમી રહી છે.
અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે એક પણ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું નથી. પરંતુ એક ટીમ એવી પણ છે જેનો આઈપીએલમાં રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે, આ ટીમ 9 વર્ષથી પ્લે-ઓફમાં જગ્યા બનાવી શકી નથી.
આ ટીમ 9 વર્ષથી પ્લેઓફમાં પહોંચી નથી
જો ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની વાત કરીએ તો પંજાબ કિંગ્સ ટીમનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. કારણ કે છેલ્લા 9 વર્ષથી પંજાબ કિંગ્સ IPL પ્લેઓફમાં જગ્યા બનાવી શકી નથી. પંજાબ કિંગ્સની ટીમ હજુ સુધી ઈન્ડિયન પ્રીમિયર લીગની એક પણ ફાઈનલ મેચ જીતી શકી નથી.
શિખર ધવન IPL 2024માં પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. IPL 2024માં પંજાબ કિંગ્સ અત્યાર સુધી ચાર મેચ રમી ચૂકી છે. જેમાં પંજાબ કિંગ્સના ખેલાડીઓએ તેમના પ્રદર્શનના આધારે બે મેચ જીતી છે જ્યારે પંજાબને બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ હવે IPL 2024માં શિખર ધવન પ્લેઓફમાં પહોંચીને પંજાબ કિંગ્સ માટે IPL ટ્રોફી મેળવવાનો પ્રયાસ કરશે.