ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડી રિષભ પંતને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એવી ચર્ચા છે કે પંતને ટૂંક સમયમાં એરલિફ્ટ કરીને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે.
જો અહેવાલોનું માનીએ તો, બીસીસીઆઈ ઈચ્છે છે કે પંતની સારવાર જાણીતા ઓર્થો ડો. દિનશા પારડીવાલા દ્વારા કરવામાં આવે, જેમણે ઘણા મોટા ખેલૈયાઓની સારવાર કરી છે. હાલમાં ઋષભ પંત દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ છે અને ત્યાં તેની સારવાર ચાલી રહી છે.
જો બીસીસીઆઈના સૂત્રોનું માનીએ તો રિષભ પંતને એરલિફ્ટ કરીને દિલ્હી લઈ જવામાં આવી શકે છે કારણ કે બીસીસીઆઈ ઈચ્છે છે કે આ ક્રિકેટરની સારવાર મુંબઈને બદલે દિલ્હીમાં કરવામાં આવે. સાથે જ ક્રિકેટર ઋષભ પંતનું BCCIની દેખરેખ હેઠળ પુનર્વસન થવું જોઈએ. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઈચ્છે છે કે પંતની સારવાર પ્રખ્યાત ઓર્થો ડોક્ટર દિનશા પારડીવાલા હેઠળ કરવામાં આવે.
ડૉ.દિનશાએ ઘણા મોટા ખેલાડીઓની સારવાર કરી છે. બીસીસીઆઈએ પહેલા જ કહ્યું છે કે તેઓ રિષભ પંતની સારવારમાં કોઈ કસર છોડશે નહીં અને જો તેને વિદેશ લઈ જવો પડશે તો બીસીસીઆઈ તેની વ્યવસ્થા કરશે. પંતના ચાહકો પણ તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
ભારતીય ટીમના વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની કારને ગત શુક્રવારે વહેલી સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત થયો હતો. તે દિવસે સવારે ધુમ્મસથી ઘેરાયેલી સ્થિતિમાં દિલ્હી-દેહરાદૂન હાઇવે પર નરસન બોર્ડર નજીક મોહમ્મદપુર ઝાલ વિસ્તારમાં પંતની હાઇ-સ્પીડ કાર અચાનક કાબૂ ગુમાવી બેઠી હતી અને ડિવાઇડર સાથે અથડાઈ હતી.
Rishabh Pant will be airlifted to Mumbai. He'll be totally under BCCI's care now.
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 4, 2023