ODIS

શુભમન ગિલનું મોટું નિવેદન

ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-1થી પરાજય બાદ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે ખેલાડીઓની ફિટનેસને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગિલે સ્વીકાર્યું કે શ્રેણી દરમિયાન સતત ઈજાઓને કારણે ભારત પોતાની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન ઉતારી શક્યું નહીં અને આવનારા વર્લ્ડ કપ પહેલાં આ સૌથી મોટો પડકાર છે.

ગિલે મેચ બાદ કહ્યું કે આખી શ્રેણી દરમિયાન ટીમને વારંવાર ફેરફાર કરવા પડ્યા. કેટલાક મહત્વના ખેલાડીઓ ઈજાના કારણે ઉપલબ્ધ નહોતા, જ્યારે કેટલાક ખેલાડીઓ શ્રેણી દરમિયાન જ બહાર થઈ ગયા. આવી સ્થિતિમાં ટીમનું સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે અને સતત જીત માટે સ્થિર ટીમ હોવી જરૂરી છે.

ભારતીય કેપ્ટને વધુમાં જણાવ્યું કે આગામી વર્લ્ડ કપ જેવી લાંબી ટુર્નામેન્ટમાં સતત 11 જેટલી મેચ રમવાની હોય છે. જો ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ નહીં હોય તો ટીમ માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું મુશ્કેલ બની શકે છે. તેથી ફિટનેસ પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

લોર્ડ્સ ખાતે રમાયેલી નિર્ણાયક ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 387 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. જવાબમાં ભારતે રોહિત શર્માની શાનદાર 138 રનની સદી અને શુભમન ગિલની 77 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ છતાં 360/7 સુધી જ પહોંચી શક્યું અને 27 રને મેચ તેમજ શ્રેણી ગુમાવી દીધી.

ગિલે હારનું વિશ્લેષણ કરતાં કહ્યું કે ભારતીય બોલરોએ ખાસ કરીને ડેથ ઓવરોમાં ઘણા વધારે રન આપી દીધા, જેના કારણે ઈંગ્લેન્ડ મોટો સ્કોર બનાવી શક્યું. તેણે સ્વીકાર્યું કે યુવા બોલિંગ આક્રમણ માટે આ શ્રેણી શીખવાનો સારો અનુભવ રહ્યો છે, પરંતુ ભવિષ્યમાં આવી ભૂલો ટાળવી પડશે.

હવે ભારતનું આગામી ધ્યાન ઝિમ્બાબ્વે સામેની ટી20 શ્રેણી અને ત્યારબાદની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર રહેશે. ગિલનું માનવું છે કે જો ખેલાડીઓ સંપૂર્ણ ફિટ રહેશે અને ટીમ સતત એક જ સંયોજન સાથે રમશે તો ભારત ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાની દાદાગીરી સાબિત કરી શકશે.

Exit mobile version