કપિલ શર્માના શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના પ્રથમ એપિસોડમાં બોલિવૂડ કલાકારોએ મનોરંજનનો એક સ્પર્શ ઉમેર્યો હતો. આ પછી કપિલ શર્માના ફેન્સ બીજા એપિસોડની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોના બીજા એપિસોડમાં ભારતીય ક્રિકેટના બે મોટા સ્ટાર્સ જોવા મળ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોમાં પહોંચ્યો છે. રોહિત શર્માએ વર્લ્ડ કપ ફાઈનલમાં મળેલી હારને લઈને મોટુ નિવેદન આપ્યું છે.
પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્માના શોમાં રોહિત શર્માએ વર્લ્ડ કપમાં મળેલી હાર વિશે વાત કરી હતી. કપિલ શર્માએ રોહિત શર્માને પૂછ્યું કે વર્લ્ડ કપમાં હાર બાદ તમે કેવું અનુભવી રહ્યા છો? રોહિત શર્માએ કહ્યું, “સમજાવવું ખૂબ જ મુશ્કેલ છે… વર્લ્ડ કપ હાર્યા પછી પણ પ્રશંસકો દ્વારા આપવામાં આવેલ પ્રતિસાદ જોઈને હું ખૂબ જ આશ્ચર્યચકિત થયો હતો. મને લાગતું હતું કે પ્રશંસકો અમારા પર ગુસ્સે થશે. પરંતુ તેઓએ અમારું સમર્થન કર્યું. ઘણું બધું અને ઘણો પ્રેમ આપ્યો.”
View this post on Instagram