આ વર્ષે જૂન 2024માં રમાનાર ટી20 વર્લ્ડ કપ 2024ને લઈને એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમના અનુભવી ક્રિકેટર વિરાટ કોહલીની પસંદગી કરી છે.
આ સમાચાર આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચાહકોમાં હલચલ મચી ગઈ છે અને ઘણા ક્રિકેટ એક્સપર્ટ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડીએ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.
છેલ્લા કેટલાક દિવસોથી ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને લઈને ચર્ચા ચાલી રહી છે કે વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ ખેલાડી ગણાતા વિરાટ આ વર્ષે જૂન 2024માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાની યજમાનીમાં રમશે.
“તમે વિરાટને કેવી રીતે અવગણી શકો છો. તે ભારતની ટીમમાં હોવો જોઈએ. તે રન બનાવી રહ્યો છે, આ કોહલીથી આગળ જોવાનો સમય નથી, તે કોહલીને તમારી ટીમમાં રાખવાનો સમય છે, જે તૈયાર પણ છે. કદાચ યુવા ભારત ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને કોહલી ભારતીય ટીમમાં હોવો જોઈએ, તેમાં કોઈ શંકા નથી.”
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. તેના આંકડાઓ પર નજર કરીએ તો તેના આંકડા આશ્ચર્યજનક રહ્યા છે, વિરાટે 117 T20 મેચોની 109 ઇનિંગ્સમાં 51.8ની એવરેજથી 4037 રન બનાવ્યા છે.
𝐈𝐀𝐍𝐒 𝐈𝐧𝐭𝐞𝐫𝐯𝐢𝐞𝐰
"How can you ignore him (Virat). He should be in India's squad. He has been scoring runs, it is not a time to look beyond Kohli, it is a time to have Kohli in your squad, who can also groom youngsters. India is doing pretty good and Kohli should be… pic.twitter.com/0Fg09pGeKk
— IANS (@ians_india) March 13, 2024