
ઓસ્ટ્રેલિયાના બોલરોએ એડિલેડ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ભારતને 36 રન સુધી મર્યાદિત રાખ્યું હતું..
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન રિકી પોટીંગે જણાવ્યું છે કે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામેની આઠ વિકેટના પરાજય બાદ ભારત ચાર મેચની શ્રેણીમાં વ્હાઇટવોશનો સામનો કરી શકે છે. બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) થી શરૂ થશે.
ક્રિકેટ ડોટ કોમે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન પોન્ટિંગને ટાંકીને જણાવ્યું છે કે, ક્લીન સ્વીપ માટે ઘણી સંભાવનાઓ છે. આશા છે કે અમને મેલબોર્નમાં પરિણામ મળશે અને જો તે મળે તો ભારત માટે ત્યાંથી પાછા ફરવું મુશ્કેલ થઈ જશે.
ઓસ્ટ્રેલિયાના બોલરોએ એડિલેડ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં ભારતને 36 રન સુધી મર્યાદિત રાખ્યું હતું, જે ટેસ્ટની ઇનિંગ્સમાં તેમનો સૌથી નીચો સ્કોર છે. ભારત માટે એક મુશ્કેલી એ છે કે કેપ્ટન વિરાટ કોહલી હવે પોતાના પહેલા બાળકના જન્મ માટે ઘરે પરત ફરશે અને તેથી તે બાકીની ત્રણ મેચ રમી શકશે નહીં.
પોન્ટિંગે કહ્યું કે, હવે કોહલી ટીમમાં રહેશે નહીં, તેથી કોઈ તેને આ નુકસાનની ભરપાઇ કરી શકે નહીં. તેમને કેટલાક ફેરફાર કરવા પડશે. રીષભ પંતને મધ્ય ક્રમમાં આવવું પડશે. કોહલી ગુમ થતાં તેની બેટિંગ વધુ મજબૂત કરવી પડશે.
