ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સાથે 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર શ્રેણી રમી રહી છે. જેમાં રોહિત શર્મા ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે.
રોહિત અને ટીમ ઈન્ડિયા શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોહિતે નાગપુરમાં રમાયેલી પ્રથમ મેચમાં પણ શાનદાર સદી ફટકારી હતી.
એક તરફ જ્યાં રોહિત શાનદાર બેટિંગ કરી રહ્યો છે તો બીજી તરફ પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ રોહિતથી ખુશ નથી. કપિલે રોહિત શર્માને લઈને આવું નિવેદન આપ્યું છે, જેને સાંભળીને રોહિતના ફેન્સ ગુસ્સે થઈ જશે. આવો જાણીએ શું છે મામલો.
કપિલ દેવ આ દિવસોમાં પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. આ વખતે તેણે ભારતીય કેપ્ટન રોહિત શર્માની ફિટનેસને લઈને નિવેદન આપ્યું છે. આવું નિવેદન સાંભળીને રોહિતના ફેન્સ ચોંકી જશે. એક ખાનગી ચેનલ સાથે વાત કરતા પૂર્વ દિગ્ગજ કેપ્ટને કહ્યું કે, ‘ફિટ રહેવું ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને કેપ્ટન માટે. જો તમે ફિટ ન હોવ તો તે શરમજનક છે. રોહિત શર્માએ આ માટે સખત મહેનત કરવી જોઈએ.
રોહિતની બેટિંગના વખાણ કરતા કપિલ દેવે કહ્યું, ‘તે એક મહાન બેટ્સમેન છે પરંતુ જ્યારે તેની ફિટનેસની વાત આવે છે ત્યારે તેનું વજન દેખાય છે. ઓછામાં ઓછું ટીવી પર તો તે આવો દેખાય છે. હા, એ વાત સાચી છે કે વ્યક્તિ ટીવી પર અને સામે જુદો દેખાય છે. તે સારો ખેલાડી છે, શાનદાર કેપ્ટન છે પરંતુ તેને ફિટ રહેવાની જરૂર છે. જ્યારે તમે વિરાટને જુઓ છો, ત્યારે તમે કહો છો કે આ ફિટનેસ છે.