ભારતીય ક્રિકેટ ટીમ ICC T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમને તૈયાર કરવામાં વ્યસ્ત છે. સાઉથ આફ્રિકા સામે રમાયેલી ટી-20 સિરીઝમાં સિનિયર ખેલાડીઓને આરામ આપીને યુવા ખેલાડીઓને અજમાવવામાં આવ્યા હતા.
રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ સિરીઝ પહેલા તે ઈજાગ્રસ્ત થયો હતો અને રિષભ પંતને ટીમની કમાન સોંપવામાં આવી હતી. બેટ સાથે પંતનું પ્રદર્શન સિરીઝમાં કંઈ ખાસ નહોતું.
ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ICC T20 વર્લ્ડ કપ માટે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેણે પંતને પોતાની ટીમમાં સ્થાન આપ્યું નથી, જેને દક્ષિણ આફ્રિકા સામે કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. દિનેશ કાર્તિકને તેની પ્લેઈંગ ઈલેવનમાં વિકેટકીપર તરીકે જગ્યા મળી છે. ઈશાન કિશન પણ પોતાની ઈલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહ્યો છે.
નોંધનીય છે કે દક્ષિણ આફ્રિકા સામે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો. જ્યારે કેએલ રાહુલ ઈજાના કારણે ટીમનો ભાગ નહોતો. પંતે શ્રેણીમાં કેપ્ટનશીપ કરી હતી જ્યારે ઈશાનને રુતુરાજ સાથે ઈનિંગ ખોલવાની તક મળી હતી. જો કે, કોચ દ્રવિડે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે પંત વર્લ્ડ કપ માટે ચાલી રહેલી યોજનાઓનો એક ભાગ છે.
T20 વર્લ્ડ કપ માટે પઠાણની પ્લેઈંગ ઈલેવન:
કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, રવિન્દ્ર જાડેજા, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ