ભારતના ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર હાલમાં આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે મેન્ટર તરીકે જોડાયેલા છે અને તેમના માર્ગદર્શન હેઠળ ટીમનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
ગૌતમ ગંભીર વર્ષ 2024માં KKR સાથે મેન્ટર તરીકે જોડાયો છે અને તેના આગમનથી સમગ્ર ટીમમાં નવી ઉર્જા આવી છે અને ટીમનો દરેક ખેલાડી પોતાની ભૂમિકા સારી રીતે નિભાવી રહ્યો છે.
ગૌતમ ગંભીરે થોડા દિવસો પહેલા પોતાના ઓલ ટાઈમ ઈન્ડિયન પ્લેઈંગ 11 વિશે જણાવ્યું હતું અને આ ટીમમાં તેણે ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોની સહિત ઘણા દિગ્ગજ ખેલાડીઓને સામેલ કર્યા છે.
ગૌતમ ગંભીર એવા કેટલાક ખેલાડીઓમાંથી એક છે જેમની કારકિર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે, આ વિવાદો મેચ ફિક્સિંગને લઈને નહીં પરંતુ ખેલાડીઓ સાથેના પરસ્પર મતભેદોને લઈને હતા. ગૌતમ ગંભીર ઘણી વખત પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને વર્તમાન સર્વશ્રેષ્ઠ ખેલાડી વિરાટ કોહલી વિરુદ્ધ નિવેદન આપતો જોવા મળ્યો છે.
ગૌતમ ગંભીરનો ઓલ ટાઈમ ટેસ્ટ પ્લેઈંગ 11
સુનીલ ગાવસ્કર, વિરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એમએસ ધોની (વિકેટકીપર), કપિલ દેવ, અનિલ કુંબલે (કેપ્ટન), હરભજન સિંહ, ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથ.