ભારતે ઝિમ્બાબ્વે પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. શિખર ધવન ફરી એકવાર ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણીમાં ભારતીય ટીમનું સુકાન સંભાળશે.
આ શ્રેણીમાંથી મોટા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંત જેવા નામ સામેલ છે. તે જ સમયે, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમી પણ ટીમમાં નથી. ધવને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું અને કેરેબિયન ધરતી પર પ્રથમ વખત ODIમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.
ફાસ્ટ બોલર દીપક ચહરે ઝિમ્બાબ્વે પ્રવાસની વનડે ટીમમાં વાપસી કરી છે. તે IPL 2022 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે ક્રિકેટથી દૂર હતો. તેના સિવાય ઋતુરાજ ગાયકવાડ અને રાહુલ ત્રિપાઠી જેવા ખેલાડીઓ પણ ODI ટીમમાં પરત ફર્યા છે. ભારતે 18 થી 22 ઓગસ્ટ સુધી ઝિમ્બાબ્વે પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે.
#TeamIndia for 3 ODIs against Zimbabwe: Shikhar Dhawan (Capt), Ruturaj Gaikwad, Shubman Gill, Deepak Hooda, Rahul Tripathi, Ishan Kishan (wk), Sanju Samson (wk), Washington Sundar, Shardul Thakur, Kuldeep Yadav, Axar Patel, Avesh Khan, Prasidh Krishna, Mohd Siraj, Deepak Chahar.
— BCCI (@BCCI) July 30, 2022
ભારતની વનડે ટીમઃ શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન (વિકેટકીન), સંજુ સેમસન (વિકેટમેન), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, અવેશ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.