મુંબઈ ક્રિકેટ એસોસિએશને ગુરુવારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે તેની ટીમની જાહેરાત કરી. T20 ફોર્મેટમાં રમાતી ઘરઆંગણાની ટીમોની આ ટુર્નામેન્ટમાં લીગ રાઉન્ડ માટે અજિંક્ય રહાણે ટીમનું નેતૃત્વ કરશે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 11 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. સંભવતઃ કોરોના સંકટ સમાપ્ત થયા પછી પ્રથમ વખત, પસંદગીકારોએ સામાન્ય રીતે પસંદ કરેલી 15 સભ્યોની ટીમ પસંદ કરી. રહાણેની કપ્તાનીમાં પશ્ચિમ ઝોને આ અઠવાડિયે દુલીપ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારતનો ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન રહાણે જાંઘના સ્નાયુઓમાં ખેંચાણને કારણે દિલીપ ટોફીની નોકઆઉટ મેચોમાં રમી શક્યો ન હતો. પૃથ્વી શૉની કપ્તાનીમાં મુંબઈની ટીમે ફાઈનલ સુધીનો પ્રવાસ નક્કી કર્યો હતો.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા સલિલ અંકોલાએ કહ્યું કે, અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં વેસ્ટ ઝોન દુલીપ ટ્રોફીનો ખિતાબ જીતવામાં સફળ રહ્યો હતો. આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે રહાણેએ 82 ટેસ્ટ રમી છે અને આ દરમિયાન ટીમ ઈન્ડિયાની કમાન પણ સંભાળી છે. પૃથ્વી શો સહિત ટીમના યુવા ખેલાડીઓ તેની પાસેથી ઘણું શીખશે. તે બધાને સંભાળવા માટે તમારે એક પરિપક્વ વ્યક્તિની જરૂર છે. ગત સિઝનમાં તે મોટાભાગનો સમય બહાર રહ્યો હતો. પરંતુ આ વખતે તે આખી સિઝન માટે ઉપલબ્ધ છે, તે અમારા માટે ફાયદાની વાત છે.
મુંબઈને રાજસ્થાન, મધ્યપ્રદેશ, આસામ, રેલવે, ઉત્તરાખંડ, વિદર્ભ અને મિઝોરમ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. 2 ઓક્ટોબરે ટીમ અમદાવાદ જવા રવાના થશે અને ગુજરાત અને રાજસ્થાન સામે ત્રણ વોર્મ-અપ મેચ રમશે. આ પછી ટીમ ટુર્નામેન્ટ માટે રાજકોટ જશે. ટુર્નામેન્ટની મેચો ત્યાં રમાશે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે મુંબઈની ટીમ:
અજિંક્ય રહાણે (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, પૃથ્વી શો, સરફરાઝ ખાન, શાર્દુલ ઠાકુર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, હાર્દિક તામોર (વિકેટમેન), પ્રશાંત સોલંકી, ધવલ કુલકર્ણી, તુષાર દેશપાંડે, શિવમ દુબે, અમન ખાન, સિરાજ પાટિલ, મોહિત.