ગયા રવિવારે ભારત સામે એશિયા કપ 2022ના ગ્રુપ સ્ટેજની મેચ હારી ગયેલી પાકિસ્તાનની ટીમે તેનો બદલો બીજા જ રવિવારે પૂરો કર્યો. પાકિસ્તાનની ટીમે ટૂર્નામેન્ટની સુપર 4 મેચમાં ભારતને હરાવ્યું હતું.
આ મેચ ખૂબ જ રોમાંચક હતી, જે છેલ્લી ઓવર સુધી ચાલી હતી. આ મેચમાં પાકિસ્તાન માટે શું ટર્નિંગ પોઈન્ટ હતો, તેનો ખુલાસો કેપ્ટન બાબર આઝમે કર્યો છે.
કેપ્ટન બાબર આઝમે મેચ પછીના પ્રેઝન્ટેશનમાં કહ્યું, “અમારો પ્રયાસ તેને સરળ રાખવાનો હતો. તેમાં ઉતાર-ચઢાવ આવશે. તેઓએ જે રીતે પાવરપ્લેનો ઉપયોગ કર્યો તેનાથી તેમને ધાર મળી, પરંતુ અમારા બોલરો પાછા ફર્યા. મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ નવાઝની ભાગીદારી એ ટર્નિંગ પોઈન્ટ હતી. મને લાગ્યું કે નવાઝ લેગસ્પિનર (તેના પ્રમોશન અંગે) સામે નિર્ણાયક હશે.”
ભારતીય ટીમ માટે, મોહમ્મદ નવાઝ સિલેબસની બહારના પ્રશ્ન તરીકે આવ્યો હતો. 4 નંબર પર બેટિંગ કરવા ઉતરેલા નવાઝે જોરદાર શોટ ફટકારીને મેચને ટીમ ઈન્ડિયાની પકડમાંથી પાકિસ્તાન તરફ વાળ્યો હતો. તેણે 20 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. નવાઝ અને રિઝવાન વચ્ચે 73 રનની ભાગીદારી નોંધાઈ હતી, જેના કારણે પાકિસ્તાનની જીત આસાન થઈ ગઈ હતી.