ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહે 1 જૂનથી યુનાઇટેડ સ્ટેટ્સ અને વેસ્ટ ઇન્ડિઝ દ્વારા સંયુક્ત રીતે યોજાનાર T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતના પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે.
તેણે વિકેટકીપર તરીકે સંજુ સેમસન કરતાં રિષભ પંતને પ્રાધાન્ય આપ્યું છે. આ સિવાય તેણે હાર્દિક પંડ્યા પર પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. યુવીએ દાવો કર્યો છે કે આગામી વર્લ્ડ કપમાં પંડ્યા જબરદસ્ત ફોર્મમાં જોવા મળશે.
તાજેતરમાં જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશિપની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે.
યુવીએ કહ્યું, “હું કેટલાક ડાબા હાથ અને જમણા હાથના સંયોજનો જોવા માંગુ છું કારણ કે કોઈપણ વિરોધી ટીમ માટે બે સંયોજનમાં બોલિંગ કરવી હંમેશા મુશ્કેલ રહેશે. હું કદાચ પંતને પસંદ કરીશ, દેખીતી રીતે સંજુ પણ શાનદાર ફોર્મમાં છે, પરંતુ રિષભ એક ડાબોડી ખેલાડી અને મને લાગે છે કે ઋષભમાં ભારત માટે મેચ જીતવાની ઘણી ક્ષમતા છે.”
યુવરાજ સિંહનું માનવું છે કે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા માટે બેટિંગ કરવા ઉતરશે. બંને શાનદાર ફોર્મમાં છે. આ સાથે વિરાટ કોહલી ત્રીજા નંબર પર રહેશે તે નિશ્ચિત છે. આ દરમિયાન તેણે ટીમમાં શિવમ દુબેની પસંદગી પર ખુશી વ્યક્ત કરી હતી. જોકે, તેને રિંકુ સિંહ અને શુભમન ગિલનો સમાવેશ ન કરવાનો અફસોસ છે.
યુવરાજ સિંહની સંભવિત પ્લેઈંગ ઈલેવન:
રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહ.